મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવણી માટે રાજ્ય સ્તરીય અમલીકરણ સમિતીની રચના
August 09, 2018
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધીજીના ૧પ૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતી ગાંધીજીની ૧પ૦ વર્ષની જન્મજયંતિની બે વર્ષ ચાલનારી ઉજવણીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સમિતિના સૂચનોના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે કાર્યરત રહેશે.
આ સમિતીના અન્ય સભ્યોમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, નાણાના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, પ્રવાસન અગ્ર સચિવ હૈદર તેમજ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયા, અમદાવાદના મેયર મતી બિજલ પટેલ, ભાવનગરના વિધાયક જીતુ વાઘાણી, ગુજરાત વિદ્યાપીઠના ઉપ કુલપતિ અનામિક શાહ અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારા, વાંચે ગુજરાત અભિયાનના મહાદેવ દેસાઇ, કસ્તુરબા ધામ રાજકોટના ટ્રસ્ટી મતી મીરાબેન ચટવાણી અને મદ રાજચંન્દ્ર આશ્રમ ધરમપુરના ભાવિન રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સચિવ વી. પી. પટેલ આ સમિતીના સભ્ય સચિવ તરીકે
કાર્યરત રહેશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતી મહાત્મા ગાંધી ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી માટેના કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરશે.
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે