મોદી અને આબેની મુલાકાત માટે અમદાવાદને થતો શણગાર
September 09, 2017
અમદાવાદ, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે આગામી 13 અને 14 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદને દુલ્હન જેવા શણગારથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. બન્ને વડાપ્રધાન મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
બન્ને વડાપ્રધાન જે જે વિસ્તારમાં મુલાકાત લેવાના છે તે તમામ વિસ્તારોમાં રોડ નવા નક્કોર બનાવી દેવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. આ સમગ્ર રૂટ ઉપર લાઇટીંગ, રંગ રોગાન વગેરે કામ જોરશોરથી ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન 13મીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવશે અને ત્યાંથી તેઓ સીધા ગાંધી આશ્રમ જશે. એ બાદ તેઓ સીધા લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક સીદી સૈયદની જાળી ખાતે મુલાકાત કરશે અને તેની સામે આવેલી હોટલ અગાશીયેમાં ભોજન લેશે. આ સમગ્ર રૂટ પર રંગબેરંગી લાઇટો કરાઈ છે. એલીસબ્રીજ અને નહેરુ બ્રિજને રંગરોગાન કરી ડિજિટલ લાઈટ અને રોશનીથી ઝળાહળાં કરાયા છે. પુલ પરના રસ્તા નવા કરી નાખવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ગુજરાત શૉ’ યોજાશે જ્યાં નરેન્દ્ર મોદી અને શિન્જો આબે બન્ને મહાનુભાવો હાજર રહેશે અને ત્યાંથી તેઓ વત્રાપુર ખાતે આવેલી હોટલ હયાતમાં રાત્રિ રોકાણ કરશે. 14મી સપ્ટેમ્બરે અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનના મહત્વા કાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે આ માટે અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના કમિશ્નર મુકેશકુમાર અને કલેકટર સહિત 50 અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. હાલમાં તંત્ર ઊંધા માથે થયું છે
Related Stories
મોદી અને અાબેની હાજરીમાં અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન સપ્ટેમ્બરમાં થવાની શક્યતા
બુલેટ ટ્રેન ભારતમાં લાવશે રેલ્વે સુવિધામાં ક્રાંતિ – સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા
બુલેટ ટ્રેઈનની ઈજનેરી તાલીમ માટે ગાંધીનગરમાં સ્થપાશે હાઈસ્પીડ રેલ ટ્રેઈનીંગ સેન્ટર
અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન કોરીડોર સમગ્ર વિસ્તારની સિકલ બદલી નાખશે
વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે ગુજરાત પ્રવાસે
સાબરમતીના એથ્લેટ ગ્રાઉન્ડમાં થઇ શકે છે ચૌદ સપ્ટેમ્બરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન
જાપાનના વડાપ્રધાન ગુજરાત આવી સીધા જાપાન પરત ફરે તેવી શક્યતા
ભારત અને જાપાનના વડાપ્રધાન બુધવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
Recent Stories
વડાપ્રધાન મોદી 27-28 એપ્રિલે ચીન પ્રવાસે, રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે યોજશે બેઠક
પોક્સો એક્ટ પર કેન્દ્ર સરકારના વટહુકમને રાષ્ટ્રપતિની મંજુરી, હવે 12 વર્ષથી નીચેની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ કરનારને મળશે ફાંસીની સજા
અમૃતસરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઈટની બારીનો કાચ તૂટતા 3 મુસાફરોને ઈજા
3000 કરોડના આંતર માળખાકીય સુવિધાના કામો સાથે ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સીટી બનાવીશું: મુખ્યમંત્રી રૂપાણી
ગ્રીન ટી