મોહન ભાગવત ત્રિદિવસીય વ્યાખ્યાનમાં ‘ભવિષ્યનું ભારત: આરએસએસ પરિપ્રેક્ષ્ય’ વિષય પર યુવાનો સાથે કરશે સંવાદ
August 27, 2018
નવી દિલ્હી: 17 થી 19 મી સપ્ટેમ્બર સુધી, આરએસએસના વડા મોહન ભાગવત, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં, દેશના અશિક્ષિત નાગરિકો સાથે સંવાદ કરશે. આ માટે 3-દિવસના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો વિષય ‘ભવિષ્યનું ભારત: આરએસએસ પરિપ્રેક્ષ્ય’ રહેશે. આ દ્વારા તેઓ દેશના પ્રબુદ્ધ યુવાનોને સંઘની વિચારધારાથી વાકેફ કરશે.
આ માહિતી આરએસએસના ઓલ-ઇન્ડિયા પ્રચારના પ્રમુખ અરુણ કુમારે સોમવારે આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત આજે દુનિયામાં તેના વિશેષ સ્થાનને પ્રાપ્ત કરવા માટે અગ્રીમ છે. આ સાથે જ સંસ્કારી વર્ગ રાષ્ટ્રીય મહત્વના જુદા જુદા વિષયો પર સંઘના વલણને જાણવા માટે ઉત્સુક હોય તેવા અનુભવ થઇ રહ્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં, આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. સરસંધચાલક મોહન ભાગવત રાષ્ટ્રીય મહત્વના વિવિધ સમકાલીન મુદ્દા પર દરેકની સામે સંઘના વિચારને રજૂ કરશે.
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે