રાજય સરકાર ખેડૂતોના લાભાર્થે અનેક મહત્વના નિર્ણયો કરી રહી છે :કુંવરજીભાઇ બાવળિયા
January 24, 2019
ગાંધીનગર:રાજકોટ તા.૨૪, જાન્યુઆરી- રાજયના પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને જસદણની પ્રાંત કચેરી ખાતે જસદણ તાલુકાના ખેડૂતોને રૂ.૧.૬૦ કરોડની અછતગ્રસ્ત કૃષિ ઇનપુટ સહાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે ખેડૂતોને સહાય કરવા જસદણ તાલુકાના ખેડૂતો માટે રૂ. ૨૮ કરોડ ફાળવ્યા છે. ખેડૂતોની સમસ્યાને જાણી ખેડૂતો માટે કામ કરતી સરકાર છે. હવે ધાસચારા માટેની સહાયનો પણ નિર્ણય સરકારમાં કરાયો છે. ખેડૂતોને પાક વિમાની રકમ પણ સમયસર ચૂકવાશે. અમે સરકારમાં ખેડૂતોના પ્રતિનિધિ તરીકેના નિર્ણયો કરી રહયા છીએ. રાજય સરકાર ખેડૂતોના લાભાર્થે અનેક મહત્વના પગલા ભરી રહી છે.
શ્યામા પ્રસાદ મુખરજી અર્બન પ્રોજેકટ હેઠળ જસદણ તાલુકાના પાંચ ગામો માટે સરકાર દ્રારા રૂ.૧૩૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે “બેટી બચાવો બેટી પઢાવો” જન જાગૃતિ અર્થે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણીના ઉપક્રમે મહિલા સંમેલન પણ યોજાયું હતું. જે અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દીકરીઓનો જન્મ દર વધે અને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ લેતી થાય તે માટે આપણે સૌ જાગૃત થવું જરૂરી છે.
પ્રાંત અધિકારીશ્રી ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી જિજ્ઞેસભાઇ હિરપરા, સરપંચશ્રી ધીરૂભાઇ રામાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી બેલીમ, વિસ્તરણ અધિકારીશ્રી મમતાબેન ચૌહાણ, સુપરવાઇઝરશ્રી ઇલાબેન વાળા, અગ્રણીશ્રી રમાબેન મકવાણા, શ્રી દામજીભાઇ રામાણી, શ્રી મનસુખભાઇ જાદવ, શ્રી પ્રતાપભાઇ ધાધલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.
Related Stories
પંચમહાલ: ખેડૂતોના નામે રૂ.99 લાખની ગોબાચારી કરનાર 6 અધિકારીઓ સામે નોંધાઈ ફરિયાદ
નાના ખેડૂતોના હિતમાં સમગ્ર રાજ્યમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવા મુખ્યમંત્રીનું સૂચન
ખેડૂતોના હામી હોવાના દાવા કરી ગુજરાતમાં આંદોલન કરતી કોંગ્રેસને કર્ણાટક અને પંજાબ જેવા કોંગી શાસિત રાજ્યોમાં આંદોલન કરવું જોઇએ: આર.સી.ફળદુ
ખેડૂતોના પક્ષમાં સરકારના મંત્રી આંદોલન કરે તો પણ કોંગ્રેસ ટેકો આપશે: ધાનાણી
ખેડૂતોના દેવા માફીની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરો : પરેશ ધાનાણી
ખેડૂતોના ચોમાસુ પાકને બચાવી લેવા આવતીકાલથી પાંચ દિવસ સુધી નર્મદાનું 12,000 ક્યુસેક પાણી અપાશે : નાયબ મુખ્યમંત્રી
કોંગ્રેસને માત્ર જૂઠ્ઠા આક્ષેપો અને ઉશ્કેરાટ ફેલાવવામાં જ રસ છે, તેને ખેડૂતોના હિત સાથે કોઈ લેવા-દેવા નથી : ભરત પંડયા
અમારી સરકાર ગરીબો આદિવાસીઓ વંચિતો, પીડિતો, શોષિતો અને ગામડાંઓના વિકાસને સમર્પિત છે
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે